Tuesday, November 26, 2019

Fight against cybercrime

Fight against cyber crime
લાંબા સમયથી એન્ડ્રોઈડ પ્લેટફોર્મમાં ડેટા લીક અને હેકિંગનો ખતરો બનેલો છે. હેકર્સ સતત આ પ્લેટફોર્મ પર એપ્સ મારફતે લોકોને નિશાન બનાવતાં આવ્યા છે. હાલમાં જ આવેલી ચેક પોઈન્ટ રિસર્ચની રિપોર્ટ સામે આવી છે. જેમાં લગભગ 19 એન્ડ્રોઈડ એપ્સમાં સિક્યોરિટીમાં છીંડા જોવા મળે છે.
ચેક પોઈન્ટ રિસર્ચ અનુસાર મેલવેયરવાળા એપ્સનાં ડેવલપર્સે ખામીઓ હોવા છતાં તેને ફરીથી સુધારી નથી. તો વિશેષજ્ઞોનું માનવું છે કે, હેકર્સ આ એપમાં એક કમાન્ડ આપીને યુઝર્સનાં ડેટા સરળતાથી હેક કરી શકે છે.
આ એપ્સમાં છે સિક્યોરિટીનું જોખમ
LiveXLive, Moto Voice BETA, Yahoo! Transit, Yahoo! Browser, Yahoo! Map, Yahoo! Car Navigation, Facebook, Messenger, SHAREit, Mobile Legends: Bang Bang, Smule- The #1 Singing, JOOX Music, WeChat, AliExpress, Video MP3 Converter, LAZADA, Viva Video, Retrica, Tuneln
આ એપ્સમાં જે ખામીઓ સામે આવી છે, હેકર્સ તેનો લાભ ઉઠાવીને તમારા ફોનમાંથી ફોટા અને વીડિયો લીક કરી શકે છે. સાથે જ આ લીકની તમને ખબર પણ નહીં પડે. દિગ્ગજ કંપની ગુગલે વાયરસવાળી આ એપ્સને લઈ તપાસ શરૂ કરી છે. તો ફેસબૂકે કહ્યું કે, આ ખામીઓને કારણે યુઝર્સનાં ડેટાને બિલ્કુલ નુકસાન નહીં થાય. બીજી બાજુ ઈન્સ્ટાગ્રામે પણ યુઝર્સ માટે સિક્યોરિટી પેચ લોન્ચ કર્યું છે.
ગુગલે ઓક્ટોબર મહિનામાં જ Feel Camera HD, Filter Photo Frame, Lens Flares, Magic Effect અને QR Code Scanner જેવી એપ્સને પોતાના પ્લેટફોર્મ પરથી ડિલિટ મારી દીધી હતી.
Fight against cyber crime

બંધારણ દિવસ -ભારત


૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે.
ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો અને તેને બનાવવા માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
ભારતના બંધારણમાં કુલ ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શિડયુલ છે, તેમજ તેને ૨૫ ભાગોમાં વહેચવામાં વિભાજિત કરવામાં આવ્યું છે.
બંધારણની સભાના કુલ ૨૮૪ સભ્યો દ્વારા ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી , ૧૯૫૦ ના રોજ લાગુ કરાયું હતું.
જો કે ત્યારબાદ અત્યારસુધીમાં બંધારણમાં ૯ મહત્વના સુધારાઓ કરવામાં આવી ચુક્યા છે :
૧. વર્ગના આધારે દેશના રાજ્યોની નાબૂદી, કેન્દ્રશાસિત પ્રદેશની ઘોષણા તેમજ ભાષાના આધારે રાજ્યોનું પુનઃગઠન (૧૯૫૬)
૨. બંધારણના ૪૨માં સુધારાની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાને શામેલ કરવાની મૂળભૂત જોગવાઈ (૧૯૭૬)
૩. મૂળ અધિકારોની સૂચિમાંથી કાઢી નાખવામાં આવેલો સંપત્તિનો અધિકાર (૧૯૭૮)
૪. કાયદાના નિર્માતાઓને પક્ષપાતના આધારે અયોગ્ય ઠેરવી શકાય તે અંગેનો કાયદો (૧૯૮૫)
૫. દેશમાં યોજાતી ચૂંટણીઓમાં મતદાતાઓની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને કરાઈ ૧૮ વર્ષ (૧૯૮૯)
૬. દેશના મોટા શહેરો અને જિલ્લાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની રજૂઆત (૧૯૯૩)
૭. ૬ વર્ષથી લઈ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ (૨૦૦૨)
૮. દેશની જાહેર અને ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને સુનિશ્ચિત જનજાતિઓને આરક્ષણથી સંબંધિત કાયદાઓ પસાર કરવા સરકારે મંજૂરી આપી છે (૨૦૧૪)
૯. દેશભરમાં એક રાષ્ટ્ર, એક ટેક્સ એટલે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની રજૂઆત (૨૦૧૭)
ભારતનું બંધારણ
************
ભારતનું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ.તે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ છે.તે દેશનાં કાયદા કરતાં ચડિયાતું છે.તેમાં સત્તા પક્ષ અને લોકોના હકો સ્પષ્ટ કરાયા છે.ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે એકતંત્રી છે.
ભારતીય બંધારણની સાલવારી
***********************
બંધારણસભાની કામગીરી 9 મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી.
બંધારણસભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પસાર કર્યુ.(કુલ સમયગાળો – 2 વર્ષ 11 માસ અને 18 દિવસ )
26
મી જાન્યુઆરી 1950થી અમલ ( 26મી તારીખ પસંદ કરવાનું કારણ(1) 26 ડિસેમ્બર 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો (2)26મી જાન્યુઆરી 1930ના દિવસની સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામા આવ્યો હતો )
બંધારણ સમિતિ
***********
બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ : ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સમિતિમાં કુલ 389 સભ્યો (296-બ્રિટિશ હિંદના સભ્યો, 93-દેશી રાજ્યોના, અ.જા.ના 30 – સભ્યો )
એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ ફ્રેંક એન્થની
પારસીઓના પ્રતિનિધિ એચ.પી.મોદી
સ્ત્રી સભ્યો સરોજિની નાયડુ અને વિજ્યાલક્ષ્મી પંડિત
બંધારણ સમિતિના સભ્યો : (ખરડા સમિતિ) (29 ઓગસ્ટ 1947 )
-
ડૉ. ભીમરાવ આંબેડકર (અધ્યક્ષ)
-
અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર
-
એન.ગોપાલસ્વામી આયંગર
-
કનૈયાલાલ મુનશી
-
સર બેનીગર નરસિંહરાવ
-
ટી.ટી.કૃષ્ણામાચારી
-
સૈયદ મહમદ સાદુલ્લાહ
અન્ય બંધારણની અસર
****************
યુનાઇટેડ કિંગડમ : સંસદીય , શાસન પ્રણાલી , સંસદીય વિશેષાધેકાર
સંસદીય ાર્યપ્રણાલી યુ.એસ.એ. : ઉપરાષ્ટ્રપતિપદ ,મૂળભૂત અધિકાર
કેનેડા : સંધાત્મક વ્યવસ્થા , અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે
આયરલેન્ડ : રાજ્યના નીતિવિષયક સિધ્ધાંત
જર્મની : કટોકટીની જોગવાઇ
ફ્રાંસ : પ્રજાસત્તાક વ્યવસ્થા
ઓસ્ટ્રેલિયા : સમવર્તી સૂચી
જાપાન : કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા
ભારતીય બંધારણ
**************
આમુખ :
ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે.તેનો કાયદેસર અમલ કરાવી શકાય નહીં. છતાં આમુખનું ઘણું મહત્વ છે.તેમાં બંધારણના મૂળભૂત સિધ્ધાંતો અને આદર્શોનું દર્શન થાય છે. બંધારણનું અર્થઘટન કરવામાં આમુખ ઉપયોગી છે. (આમુખમાં 1976 માં ફેરફાર કરી સમાજવાદી’,’બિનસાંપ્રદાયિક’,’એકતા
અને રાષ્ટ્રની અખંડિતતાજેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતાં )
મૂળ બંધારણ -395 કલમ, 8 અનુચ્છેદ પ્રવર્તમાન બંધારણ – 395 કલમ , 12 અનુચ્છેદ ૩
બંધારણના મુખ્ય લક્ષણો :
ભારત રાજ્યનો બનેલો સંઘ છે.(કેન્દ્ર પાસે 97 કાર્ય અને સત્તાઓ , રાજ્યો પાસે 66 કાર્ય
અને સત્તાઓ . સંયુક્ત યાદીમા 47 કાર્ય અને સત્તાઓ )
સંઘ પાસે રાષ્ટ્રીય કટોકટી , રાજ્યમા બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટીનો સામનો કરવાની વિશેષ સત્તાઓ ( કટોકટી વખતે ભારત લગભગ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાય જાય છે.
ભારતમાં સંસદીય પધ્ધતિની સરકાર
સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર
પુખ્ત વયે મતાધિકાર (18-વર્ષ )
બિનસાંપ્રદાયિકતા
મૂળભૂત હકો
*********
(10
ડિસેમ્બર માનવ હક દિન )
ત્રીજા અનુચ્છેદમાં 12 થી 36 સુધીની કલમોમાં 36 અધેકારોની જોગવાઇ કરવામાં આવી છે.મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર પરંતુ 44 માં સંશોધનમાં સંપત્તિનો અધિકારરદ કરવામાં આવ્યો..હાલ 6 અધિકારો નાગરિકો માટે છે.
સમાનતાનો અધિકાર (કલમ 14 થી 17 )
સ્વતંત્રતાનો અધિકાર (કલમ 19 થી 21 )
શોષણ વિરૂધ્ધનો અધિકાર (કલમ 23 થી 24 )
ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર (કલમ 25 થી 28 )
સંસ્કૃતિ અને શિક્ષણસંબંધી અધિકાર (કલમ 29 થી 30 )
બંધારણીય ઇલાજોનો અધિકાર (કલમ 32 )
(93
મો સુધારો પ્રાથમિક શિક્ષણ મૂળભૂત અધિકાર )
મૂળભૂત ફરજો : (6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન )
બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર્ગીતનો આદર કરવો.
સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને આદર્શો અપનાવવા.
ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
જરૂરિયાત પડે ત્યારે દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રસેવામાં જોડાવું.
ભારતના બધા લોકો વચ્ચે ભાઇચારાની ભાવના ખિલવવી અને સ્ત્રીઓનાં ગૌરવને હાનિ પહોંચાડતી બાબતોનો ત્યાગ કરવો .
રાષ્ટ્રના સમૃધ્ધ, સમન્વિત અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી અને પર્યાવરણનું રક્ષણ કરવું.
વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો.
જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાંનો ત્યાગ કરવો.
વૈયક્તિક અને સામૂહિક પુરૂષાર્થના બધાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિધ્ધ કરવા કટિબધ્ધ થવું.
શિક્ષણવિષયક કલમો
*****************
6
થી 14 વર્ષના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ (કલમ-45 )
શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર (કલમ- 29 અને 30 )
પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારાં શિક્ષણની સુવિધા (કલમ -350 એ )
હિંદ ભાષાને પ્રોત્સાહન (કલમ -351 )
શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અંગે જોગવાઇ (કલમ-25,28એ અને 28 બી)
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના નાગરિકો માટે શિક્ષણ (કલમ-46)
સ્ત્રીઓનું શિક્ષણ (કલમ – 15એ અને 15સી)


ATM FRAUD

અમદાવાદમાં સાઈબર ક્રાઈમના ગુનામાં 45 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ વર્ષ 2017ના જારી કરેલા આંકડામાં આ ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે. 2016માં સાઈબર ક્રાઈમને લગતી વિવિધ 77 ફરિયાદો નોંધાઈ હતી. જે 2017માં 112એ પહોંચી હતી. રાજ્યમાં સાઈબર ક્રાઈમની સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદ પછીના ક્રમે સુરત આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સાઈબર ક્રાઈમની ફરિયાદોમાં 90 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી, એટીએમ ક્લોનિંગ, વન ટાઈમ પાસવર્ડની તફડંચી અને ખોટી રીતે પૈસા ઉપાડી લેવા જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે. 2015માં આવી 242 ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે 2017માં વધીને 458 થઈ હતી. આમ બે વર્ષમાં 90 ટકા ફરિયાદો વધી ગઈ છે. લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નિષ્ણાતે કેટલીક સલાહ આપી છે.
સાઈબર ગુનેગારો તમારા પરસેવાની કમાણી લૂંટી ન જાય તે માટે FSLના નિષ્ણાતે આટલી બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપી
જુદા જુદા ATMનો ઉપયોગ કરવાનું ટાળો
પૈસા ઉપાડવા જુદા જુદા એટીએમનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. કારણ કે, ક્યારેક એવું બની શકે કે કોઈક એટીએમમાં કેમેરા કે સ્કિમિંગ મશીન છૂપાવેલું હોય. નિયમિત રીતે જે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોવ ત્યાંથી જ ઉપાડો.
ATMમાં કાર્ડ નાખતાં પહેલાં સ્લોટ ચેક કરો
એટીએમમાંથી પૈસા ઉપાડતાં પહેલાં કાર્ડ નાખવાનો સ્લોટ ખાસ ચેક કરો. આ સ્લોટની ડિઝાઈનમાં ફેરફાર લાગે તો પૈસા ન ઉપાડો. કારણ, આ સ્લોટની આસપાસ લગાડેલી ચીપ તમારા કાર્ડ-પિન નંબરની કોપી કરી લે છે. સૂક્ષ્મ કેમેરાથી ડેટાની ચોરી ન થાય તે જુઓ કાર્ડ નાખવાના સ્લોટની આસપાસ સૂક્ષ્મ કેમેરા સંતાડી તમારા કાર્ડની વિગતો તફડાઈ લેવાતી હોય છે. માટે સૌથી પહેલાં ચેક કરો કે કોઈ કેમેરા તો નથી. આ ઉપરાંત સ્લોટ આસપાસ કંઈપણ શંકાસ્પદ લાગે તો થોભી જાવ. મોબાઈલ પર આવતી અજાણી લિન્ક ન ખોલો મોબાઈલમાં આવતી ફીશિંગ લિન્કથી સાવધાન રહેવું. લોભામણી ઓફર કરતી આ લિન્ક પર ક્યારેય ક્લિક ન કરવી. કારણ કે, ક્લિક કરતાંની સાથે જ તમારા ડેટાની ચોરી થાય છે. આવો કોઈ મેઈલ આવે તો વેરિફાય કરો. લોભામણી ઓફરોથી ઠગાઈ થતી હોય છે ઘણી વખત વોટ્સએપ કે ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પર કોઈક વસ્તુ કે અમુક રૂપિયાનું વાઉચર ફ્રીમાં મળે છે તેવી ઓફર કરતી લિન્ક આવે છે. આ લિન્ક કદી ખોલવી નહીં. કારણ કે, આવી લિન્ક મારફતે તમારો ડેટા ચોરાય છે. ભળતાં નામે આવતી એપ ડાઉનલોડ ન કરો એપ સ્ટોરમાંથી ગેમ કે એપ ડાઉનલોડ કરતી વખતે આ એપ કે ગેમ સાચી છે કે નહીં તેની ખાતરી કરો. એવું બની શકે છે કે, એપ ડાઉનલોડ થઈ જાય તો તમારા મોબાઈલમાં રહેલા બેન્કના ડેટાની ઉઠાંતરી થઈ શકે છે. ઓનલાઈન શોપિંગમાં ડોમેઈન નેમ ચેક કરો ઓનલાઈન શોપિંગ કરતી વખતે ધ્યાન રાખવું કે કોઈપણ કંપનીનું નામ ડોમેઈનની આગળ જ હોય.દાખલા તરીકે www.companyname.com હોય પરંતુ www.companyname.xyz.com ક્યારેય ન હોઈ શકે. નેટ બેન્કિંગની એપ અપડેટ કરતા રહો મોબાઈલથી નેટ બેન્કિંગ કરતી વખતે ખાસ કાળજી લો કે, બેન્ક સમયે-સમયે જે એપ મોકલે છે તેને અપડેટ કરો. જૂની એપ સતત ચાલુ રાખવાથી ડેટાચોરીનું જોખમ વધે છે. અપડેટ થયેલી એપમાં બેન્કે કાળજી લીધી હોવાથી જોખમ ઘટે છે.

Thursday, November 21, 2019

SUPER COMPUTER



India levelled up in the supercomputing prowess with the commissioning of Pratyush this Monday. Union minister for Science and Technology Harsh Vardhan dedicated India's fastest and first multi-petaflops super computer to the nation at Indian Institute of Tropical Meterorology (IITM), Pune.

What is special about Pratyush?

Up until now, India's computing capacity stood at 1.0 PF (petaflops), but with the commencement of Pratyush, the supercomputing prowess of the nation will reach 6.8 PF. PF or Petaflops is a measure of the processing speed of computer.
The machine will be installed at two government institutes. IITM, Pune will have the 4.0 PF facility while the 2.8 PF facility would be installed at National Centre for Medium Range Weather Forecast, Noida.
As reported by The Hindu, "With the new system, it would be possible to map regions in India at a resolution of 3 km and the globe at 12 km."

India's other supercomputers

With Pratyush, India makes its way into the list of top 30 super computers in the world. As of June 2017, following systems of India were in the list of top 500 super computing systems:
  • SahasraT (SERC - Cray XC40) installed at Indian Institute of Science (ranked 165)
  • Aaditya (iDataPlex DX360M4) installed at Indian Institute of Tropical Meteorology (ranked 260)
  • TIFR - Cray XC30 installed at Tata Institute of Fundamental Research (ranked 355)
  • HP Apollo 6000 Xl230/250 installed at Indian Institute of Technology Delhi (ranked 391)

Use of India's fastest super computer

  • The super computer Pratyush will be used for weather forecasts, making the process better than ever
  • It will be used majorly for monsoons and extreme weather events including the tsunamis, cyclones, draught, flood and earthquakes
  • The computer will also be used to facilitate the reading of air quality, lightning, fishing along with hot and cold waves
It is also worth mentioning that Pratyush would be the fourth fastest super computer in the world used for weather forecast.

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...