Tuesday, November 26, 2019

બંધારણ દિવસ -ભારત


૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે.
ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો અને તેને બનાવવા માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
ભારતના બંધારણમાં કુલ ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શિડયુલ છે, તેમજ તેને ૨૫ ભાગોમાં વહેચવામાં વિભાજિત કરવામાં આવ્યું છે.
બંધારણની સભાના કુલ ૨૮૪ સભ્યો દ્વારા ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી , ૧૯૫૦ ના રોજ લાગુ કરાયું હતું.
જો કે ત્યારબાદ અત્યારસુધીમાં બંધારણમાં ૯ મહત્વના સુધારાઓ કરવામાં આવી ચુક્યા છે :
૧. વર્ગના આધારે દેશના રાજ્યોની નાબૂદી, કેન્દ્રશાસિત પ્રદેશની ઘોષણા તેમજ ભાષાના આધારે રાજ્યોનું પુનઃગઠન (૧૯૫૬)
૨. બંધારણના ૪૨માં સુધારાની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાને શામેલ કરવાની મૂળભૂત જોગવાઈ (૧૯૭૬)
૩. મૂળ અધિકારોની સૂચિમાંથી કાઢી નાખવામાં આવેલો સંપત્તિનો અધિકાર (૧૯૭૮)
૪. કાયદાના નિર્માતાઓને પક્ષપાતના આધારે અયોગ્ય ઠેરવી શકાય તે અંગેનો કાયદો (૧૯૮૫)
૫. દેશમાં યોજાતી ચૂંટણીઓમાં મતદાતાઓની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને કરાઈ ૧૮ વર્ષ (૧૯૮૯)
૬. દેશના મોટા શહેરો અને જિલ્લાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની રજૂઆત (૧૯૯૩)
૭. ૬ વર્ષથી લઈ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ (૨૦૦૨)
૮. દેશની જાહેર અને ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને સુનિશ્ચિત જનજાતિઓને આરક્ષણથી સંબંધિત કાયદાઓ પસાર કરવા સરકારે મંજૂરી આપી છે (૨૦૧૪)
૯. દેશભરમાં એક રાષ્ટ્ર, એક ટેક્સ એટલે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની રજૂઆત (૨૦૧૭)
ભારતનું બંધારણ
************
ભારતનું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ.તે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ છે.તે દેશનાં કાયદા કરતાં ચડિયાતું છે.તેમાં સત્તા પક્ષ અને લોકોના હકો સ્પષ્ટ કરાયા છે.ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે એકતંત્રી છે.
ભારતીય બંધારણની સાલવારી
***********************
બંધારણસભાની કામગીરી 9 મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી.
બંધારણસભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પસાર કર્યુ.(કુલ સમયગાળો – 2 વર્ષ 11 માસ અને 18 દિવસ )
26
મી જાન્યુઆરી 1950થી અમલ ( 26મી તારીખ પસંદ કરવાનું કારણ(1) 26 ડિસેમ્બર 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો (2)26મી જાન્યુઆરી 1930ના દિવસની સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામા આવ્યો હતો )
બંધારણ સમિતિ
***********
બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ : ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સમિતિમાં કુલ 389 સભ્યો (296-બ્રિટિશ હિંદના સભ્યો, 93-દેશી રાજ્યોના, અ.જા.ના 30 – સભ્યો )
એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ ફ્રેંક એન્થની
પારસીઓના પ્રતિનિધિ એચ.પી.મોદી
સ્ત્રી સભ્યો સરોજિની નાયડુ અને વિજ્યાલક્ષ્મી પંડિત
બંધારણ સમિતિના સભ્યો : (ખરડા સમિતિ) (29 ઓગસ્ટ 1947 )
-
ડૉ. ભીમરાવ આંબેડકર (અધ્યક્ષ)
-
અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર
-
એન.ગોપાલસ્વામી આયંગર
-
કનૈયાલાલ મુનશી
-
સર બેનીગર નરસિંહરાવ
-
ટી.ટી.કૃષ્ણામાચારી
-
સૈયદ મહમદ સાદુલ્લાહ
અન્ય બંધારણની અસર
****************
યુનાઇટેડ કિંગડમ : સંસદીય , શાસન પ્રણાલી , સંસદીય વિશેષાધેકાર
સંસદીય ાર્યપ્રણાલી યુ.એસ.એ. : ઉપરાષ્ટ્રપતિપદ ,મૂળભૂત અધિકાર
કેનેડા : સંધાત્મક વ્યવસ્થા , અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે
આયરલેન્ડ : રાજ્યના નીતિવિષયક સિધ્ધાંત
જર્મની : કટોકટીની જોગવાઇ
ફ્રાંસ : પ્રજાસત્તાક વ્યવસ્થા
ઓસ્ટ્રેલિયા : સમવર્તી સૂચી
જાપાન : કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા
ભારતીય બંધારણ
**************
આમુખ :
ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે.તેનો કાયદેસર અમલ કરાવી શકાય નહીં. છતાં આમુખનું ઘણું મહત્વ છે.તેમાં બંધારણના મૂળભૂત સિધ્ધાંતો અને આદર્શોનું દર્શન થાય છે. બંધારણનું અર્થઘટન કરવામાં આમુખ ઉપયોગી છે. (આમુખમાં 1976 માં ફેરફાર કરી સમાજવાદી’,’બિનસાંપ્રદાયિક’,’એકતા
અને રાષ્ટ્રની અખંડિતતાજેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતાં )
મૂળ બંધારણ -395 કલમ, 8 અનુચ્છેદ પ્રવર્તમાન બંધારણ – 395 કલમ , 12 અનુચ્છેદ ૩
બંધારણના મુખ્ય લક્ષણો :
ભારત રાજ્યનો બનેલો સંઘ છે.(કેન્દ્ર પાસે 97 કાર્ય અને સત્તાઓ , રાજ્યો પાસે 66 કાર્ય
અને સત્તાઓ . સંયુક્ત યાદીમા 47 કાર્ય અને સત્તાઓ )
સંઘ પાસે રાષ્ટ્રીય કટોકટી , રાજ્યમા બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટીનો સામનો કરવાની વિશેષ સત્તાઓ ( કટોકટી વખતે ભારત લગભગ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાય જાય છે.
ભારતમાં સંસદીય પધ્ધતિની સરકાર
સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર
પુખ્ત વયે મતાધિકાર (18-વર્ષ )
બિનસાંપ્રદાયિકતા
મૂળભૂત હકો
*********
(10
ડિસેમ્બર માનવ હક દિન )
ત્રીજા અનુચ્છેદમાં 12 થી 36 સુધીની કલમોમાં 36 અધેકારોની જોગવાઇ કરવામાં આવી છે.મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર પરંતુ 44 માં સંશોધનમાં સંપત્તિનો અધિકારરદ કરવામાં આવ્યો..હાલ 6 અધિકારો નાગરિકો માટે છે.
સમાનતાનો અધિકાર (કલમ 14 થી 17 )
સ્વતંત્રતાનો અધિકાર (કલમ 19 થી 21 )
શોષણ વિરૂધ્ધનો અધિકાર (કલમ 23 થી 24 )
ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર (કલમ 25 થી 28 )
સંસ્કૃતિ અને શિક્ષણસંબંધી અધિકાર (કલમ 29 થી 30 )
બંધારણીય ઇલાજોનો અધિકાર (કલમ 32 )
(93
મો સુધારો પ્રાથમિક શિક્ષણ મૂળભૂત અધિકાર )
મૂળભૂત ફરજો : (6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન )
બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર્ગીતનો આદર કરવો.
સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને આદર્શો અપનાવવા.
ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
જરૂરિયાત પડે ત્યારે દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રસેવામાં જોડાવું.
ભારતના બધા લોકો વચ્ચે ભાઇચારાની ભાવના ખિલવવી અને સ્ત્રીઓનાં ગૌરવને હાનિ પહોંચાડતી બાબતોનો ત્યાગ કરવો .
રાષ્ટ્રના સમૃધ્ધ, સમન્વિત અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી અને પર્યાવરણનું રક્ષણ કરવું.
વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો.
જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાંનો ત્યાગ કરવો.
વૈયક્તિક અને સામૂહિક પુરૂષાર્થના બધાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિધ્ધ કરવા કટિબધ્ધ થવું.
શિક્ષણવિષયક કલમો
*****************
6
થી 14 વર્ષના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ (કલમ-45 )
શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર (કલમ- 29 અને 30 )
પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારાં શિક્ષણની સુવિધા (કલમ -350 એ )
હિંદ ભાષાને પ્રોત્સાહન (કલમ -351 )
શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અંગે જોગવાઇ (કલમ-25,28એ અને 28 બી)
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના નાગરિકો માટે શિક્ષણ (કલમ-46)
સ્ત્રીઓનું શિક્ષણ (કલમ – 15એ અને 15સી)


No comments:

Post a Comment

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...